વૈષ્ણવની વ્યાખ્યા

વૈષ્ણવનો પહેલો અક્ષર ‘ વ ’ શ્રી વલ્લભનો. વચ્ચેનો ‘ ષ્ણ ’ શ્રીકૃષ્ણનો. છેલ્લો ‘ વ ’ શ્રી વિઠ્ઠલનો. એટલે કે જેના હ્રદયમાં શ્રી વલ્લભ, શ્રીકૃષ્ણ અને શ્રી વિઠ્ઠલ બિરાજે છે તે વૈષ્ણવ. ‘ વ ’ ની ઉપર જે બે માત્રા છે તે સેવા અને સ્મરણ છે. સેવા અને સ્મરણની છત્રછાયા હોય તો હ્રદયમાં શ્રી વલ્લભ, શ્રીકૃષ્ણ અને શ્રી વિઠ્ઠલનો વાસ હંમેશા રહે છે.
વૈષ્ણવના ચાર કર્તવ્ય ગુણગાન, દુઃખભાવન, દીનતા, ત્યાગ.