ધ્વજચિહ્ન :
જમણાં ચરણાવિંદમાં અગ્રભાગે ધ્વજનું ચિહ્ન છે જે દર્શાવે છે કે, 'શરણે આવેલાં સર્વ જીવોને પ્રભુ આ
ધ્વજ નીચે અભય આપશે.' તેની નીચે
અંકુશનું ચિહ્ન છે જે દર્શાવે છે કે, ભકતોના હાથી જેવા મદોન્મત ચિત્તને નાથીને પ્રભુ પોતાના હ્રદયમાં સ્થાન આપે છે. પછી
કમળનું ચિહ્ન છે એ બતાવે છે કે ભક્તિરૂપી જળમાં રહેલા ભક્તોના કમળરૂપ હ્રદયને પ્રભુ ધારણ કરે છે .