બેઠકો

જેવી રીતે શ્રીનાથજી જયાં જયાં બિરાજમાન થયા છે ત્યાં ત્યાં શ્રીનાથજીની ચરણચોકી છે. એવી જ રીતે વ્રજમાં ખેલવાની ખાસ જગાઓ હતી. ત્યાં શ્રીનાજીની બેઠકો સિધ્ધ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
  • ૧)
    શ્યામઢાક :
    વ્રજમાં શ્રીગિરિરાજથી બે માઈલ દૂર શ્રીનાથજીની આ બેઠક આવેલી છે. આ સ્થળે શ્રીનાથજીએ ગ્વાલબાલ અને વ્રજભક્તોની સાથે છાકલીલા, આંખમિચૌની લીલા, ગોચારણ લીલા વગેરે અનેક લીલા કરી છે.

  • ૨)
    ગુલાલકુંડ :
    શ્રીગિરિરાજજીની તળેટીમાં આવેલા આ કુંડ પર શ્રીનાથજીએ વ્રજ ભક્તોની સાથે હોળી ખેલ કર્યો છે.

  • ૩)
    ટોડનો ધનો :
    આ સ્થળ વ્રજમાં ગુલાલકુંડની પાસે છે. ચતુરાનન [ચતુરા નાગા] ને દર્શન આપવા માટે શ્રીનાથજી અહીં પધાર્યા હતાં. અને કંટોલાનું શાક અને શીરો અંગિકાર કર્યો હતો. આ સ્થળનો જીર્ણોદ્વાર થયેલો છે. શ્રીસ્વામિનીજીનો મનોરથ પૂરો કરવા માટે શ્રીજી ટોડનો ઘનો પધાર્યા હતાં.

  • ૪)
    રાસોલી :
    વ્રજ પરિક્રમાના માર્ગમાં જાવ ગામથી કોટવન જતાં આ સ્થળ આવે છે. જયાં કદમ વૃક્ષની નીચે શ્રીનાથજીની બેઠકો છે. અહીં રાસકુંડ, રાસચોતરો, લક્ષ્મણઝૂલા વગેરે છે.

 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.