પુષ્ટિમાર્ગના અગિયાર મહાવ્રતો
  • ૧)
    નિરાભિમાનીપણું અને વૈષ્ણવીવૃત્તિ  :  
    વૈષ્ણવમાત્રને ભગવદ્ સ્વરૂપ સમજીને એમની સાથે સદા સચ્ચાઈપૂર્વક વ્યવહાર કરવો.

  • ૨)
    સેવા  :  
    તનુજા સેવા અને વિત્તજા સેવા થકી ક્રમશઃ માનસી સેવા તરફ અભિમુખ થવાનો અભિગમ કેળવવાનો દિવ્ય મનોરથ મનમાં પ્રસ્થાપિત કરીને પોતાનું ચંચળ મન અહર્નિશ ઠાકોરજીના ચરણકમળમાં જોડવું.

  • ૩)
    પ્રભુપરાયણ જીવન  :  
    આંતરબાહ્ય શુદ્વતા જાળવી કામવાસનાનો અને વ્યસન માત્રનો ત્યાગ કરી નિંદા પ્રશંસાને તથા સાંસારિક સુખદુઃખને સમાન ભાવે સ્વીકારી સદા પ્રસન્ન ચિત્તે પ્રભુપારાયણ જીવન જીવવું.

  • ૪)
    કૃતનિશ્ચય  :  
    પુષ્ટિજીવી વૈષ્ણવે પૂર્ણ શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવા ઉપરાંત ઠાકોરજીની સેવામાં સમયે સમયે જે તહેવારો / ઉત્સવો આવતા હોય તે સંપૂર્ણ ઉત્સાહ ઉલ્લાસથી ઉજવવા કૃતનિશ્ચયી બનવું.

 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.